ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી છે. તેમણે લોકસભામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો ઉલ્લેખ કરતા આ માંગણી કરી હતી. ગાયના દૂધ અને છાણનું મહત્વ જણાવતા સાંસદે કહ્યું કે તેમની સામે થતા અત્યાચારો બંધ થવો જોઈએ. કોંગ્રેસ સાંસદે લોકસભામાં આપેલું ભાષણ હવે વાયરલ થઈ રહ્યું છે.

