ગુજરાત રાજ્ય સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ફરિયાદોની તપાસ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઈન્સનો ઉદ્દેશ ભ્રષ્ટાચારની ફરિયાદોની પારદર્શક અને ઝડપી તપાસ કરવી, તેમજ ખોટી ફરિયાદો કરનાર સામે કડક કાનૂની પગલાં લઈને સરકારી કર્મચારીઓને બદનામ કરવાના પ્રયાસોને રોકવાનો છે. આ નવો નિયમ ગુજરાત સરકારની શૂન્ય-સહનશીલતા નીતિનો એક ભાગ છે, જે રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.