Gujarat Government: ગુજરાત રાજ્ય સરકારે અધિકારીઓના આતિથ્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અંતર્ગત સરકારી અધિકારીઓ દ્વારા નાસ્તા અને ભોજન માટેના ખર્ચમાં લગભગ 150 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવી નીતિના અમલથી અધિકારીઓ માટે આતિથ્ય ખર્ચની મર્યાદામાં નોંધપાત્ર રાહત મળશે, જેનાથી તેમની કાર્યકારી સુવિધામાં વધારો થશે.