Get App

Khalistani Terrorist Pannu: ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકી, 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા લોકોને ચેતવ્યાં

Khalistani Terrorist Pannu: કેનેડાની ધરતી પરથી ભારતને સતત ધમકીઓ મળી રહી છે. હવે ખાલિસ્તાન તરફી નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ધમકી આપી છે કે શીખોએ 19 નવેમ્બર પછી એર ઈન્ડિયાના વિમાનમાં બેસવું નહીં કારણ કે તે દિવસ પછી ગમે તે થઈ શકે છે. ઈંદિરા ગાંધીની જન્મજયંતિ પણ નજીક આવી રહી છે ત્યારે આ ગંભીર ચેતવણી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2023 પર 11:51 AM
Khalistani Terrorist Pannu: ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકી, 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા લોકોને ચેતવ્યાંKhalistani Terrorist Pannu: ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકી, 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા લોકોને ચેતવ્યાં
Khalistani Terrorist Pannu: કેનેડામાં અત્યારે શીખ ફોર જસ્ટિસ નામનું કટ્ટરવાદી સંગઠન સક્રિય છે જેના વડા તરીકે ગુરપતવંત સિંહ પન્નુ છે.

Khalistani Terrorist Pannu: કેનેડામાં ભારત વિરોધી તત્વો કેટલા બેખોફ થઈને ભારતને ધમકી આપે છે તેનો વધુ એક પુરાવો મળ્યો છે. કેનેડામાં ખાલિસ્તાન તરફી ચળવળ ચલાવતા ગુરપતવંત સિંહ પન્નુએ શીખોને ચેતવણી આપી છે કે 19 નવેમ્બર પછી કોઈએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવું નહીં, કારણ કે ત્યાર પછી બધાના જીવ જોખમમાં મૂકાવાના છે. ખાલિસ્તાન તરફી ત્રાસવાદીઓ દાયકાઓ અગાઉ એર ઈન્ડિયાની કેનેડાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી ચૂક્યા છે તેથી આ ધમકીને પણ બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. કેનેડામાં ભારત વિરોધી તત્વો ઘણા સમયથી સક્રિય થયા છે અને તેમાં કેટલાક ખાલિસ્તાનવાદી ત્રાસવાદીઓ શંકાસ્પદ સંજોગોમાં માર્યા ગયા છે.

કેનેડામાં અત્યારે શીખ ફોર જસ્ટિસ નામનું કટ્ટરવાદી સંગઠન સક્રિય છે જેના વડા તરીકે ગુરપતવંત સિંહ પન્નુ છે. તેણે શીખોને સલાહ આપી છે કે 19 નવેમ્બર પછી કોઈએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવું નહીં. અગાઉ 1985માં એર ઈન્ડિયાની બોઈંગ 747 કનિષ્ક ફ્લાઈટને આકાશમાં જ ઉડાવી દેવાઈ હતી.

પન્નુને કહ્યું છે કે 19 નવેમ્બરે ગ્લોબલ બ્લોકેડ કરવામાં આવશે અને એર ઈન્ડિયા કોઈ પણ જગ્યાએ ઉડાન નહીં ભરી શકે. તે દિવસે ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ બંધ રાખવા માટે પન્નુને હાકલ કરી છે.

એસએફજેના વડા પન્નુને કહ્યું કે શીખોએ 19 નવેમ્બર પછી એર ઈન્ડિયામાં ટ્રાવેલ ન કરવું કારણ કે તે તેમના માટે જીવનું જોખમ બની શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો