Gyanvapi Survey: અલ્હાબાદ હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી છે. હાઈકોર્ટે સર્વે પર પ્રતિબંધ મૂકવાની મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. આ આદેશ બાદ હવે ગમે ત્યારે સર્વે શરૂ થઈ શકે છે. મુસ્લિમ પક્ષની અરજી ફગાવી હાઇકોર્ટે જ્ઞાનવાપીના ASI સર્વેને આદેશ કર્યો છે. હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો આ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે માત્ર ASI સર્વે પર સ્ટે મુક્યો હતો. કોર્ટે કહ્યું કે એએસઆઈ બિલ્ડિંગને નુકસાન પહોંચાડ્યા વિના તેનું સર્વે કરી શકે છે.

