Imran Khan Arrest: ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થકોએ બુધવારે લાહોરમાં વડા પ્રધાન શેહબાઝ શરીફના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના 500થી વધુ હુમલાખોરો વહેલી સવારે મોડલ ટાઉન લાહોરમાં વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાં પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે TOIને જણાવ્યું કે તેઓએ વડાપ્રધાનના ઘર પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે હુમલાખોરોએ હુમલો કર્યો ત્યારે વડા પ્રધાનના આવાસ પર માત્ર ચોકીદાર જ હાજર હતો. તેઓએ ત્યાં એક પોલીસ ચોકીને પણ આગ ચાંપી દીધી હતી.

