પાકિસ્તાનના નેતાઓ ભલે ભારત વિરુદ્ધ ઉગ્ર નિવેદનો કરવાથી બાજ ન આવતા હોય, પરંતુ ભારતે અત્યાર સુધી લીધેલા આકરા પગલાંઓએ પાડોશી દેશની આર્થિક સ્થિતિને ખરાબ રીતે હચમચાવી દીધી છે. પહેલેથી જ નબળી અર્થવ્યવસ્થા ધરાવતા પાકિસ્તાન માટે આ ઝટકા કોઈ મોટા આઘાતથી ઓછા નથી. જોકે, પાકિસ્તાનના નેતાઓ વિશ્વને એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ નિર્ણયોની તેમના પર કોઈ અસર થઈ નથી. ભારતે સિંધુ સંધિ સ્થગિત કરી, હવાઈ માર્ગ બંધ કર્યો, ગેરકાયદેસર પાકિસ્તાનીઓને દેશમાંથી હાંકી કાઢ્યા, જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો અને આયાત-નિકાસ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો. ચાલો, આ નિર્ણયોની પાકિસ્તાન પર શું અસર થઈ તે વિગતે જાણીએ.