India-US trade: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો, માછીમારો અને MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)ના હિતોનું રક્ષણ થાય ત્યાં સુધી કોઈ વેપાર સમજૂતી નહીં થાય. GST બચત ઉત્સવ દરમિયાન પત્રકાર પરિષદમાં ગોયલે કહ્યું, “ભારતના ખેડૂતો, માછીમારો અને MSMEના હિતો અમારી પ્રાથમિકતા છે. જ્યાં સુધી આ હિતો સુરક્ષિત નથી, ત્યાં સુધી કોઈ સમજુતી શક્ય નથી.”