Operation Sindoor: વિશાખાપટ્ટનમમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં ભારતીય નૌસેનાએ પ્રોજેક્ટ 17A હેઠળ બનેલા બે અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ, INS ઉદયગિરિ અને INS હિમગિરિનું કમિશનિંગ કર્યું. આ પ્રસંગે નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી કે જો ભવિષ્યમાં જરૂર પડશે તો ભારતીય નૌસેના ઓપરેશન સિંદૂરને આગળ ધપાવશે અને આક્રમક રીતે પ્રહાર કરશે.