ભારતીય રેલ્વેએ બુધવારે એક આદેશ જાહેર કરીને એસી 3-ટિયર ઇકોનોમી ક્લાસમાં મુસાફરી માટેના ભાડામાં પહેલાની જેમ ઘટાડો કર્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં, એસી 3-ટિયર ઇકોનોમી ક્લાસને એસી 3-ટિયર સાથે મર્જ કરવામાં આવ્યું હતું. ઈકોનોમી ક્લાસના મુસાફરોએ 60-70 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. આદેશમાં સંકેત આપવામાં આવ્યો છે કે જૂના ભાવને રિસ્ટોર કરવા છતાં, રેલવે પહેલાની જેમ આ કોચમાં મુસાફરોને બેડશીટ અને ધાબળા આપવાનું ચાલુ રાખશે.

