ભારતીય અર્થતંત્ર 2025-26માં 6.6 ટકાના દરે ગ્રોથ પામશે. ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ દ્વારા બુધવારે આ તાજેતરનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે આ અનુમાન 6.4 ટકા છે. રેટિંગ એજન્સી માને છે કે નાણાકીય વર્ષ 2025-26માં પણ ભારતીય અર્થવ્યવસ્થા માટે રોકાણ એ મુખ્ય ગ્રોથ ચાલક હશે. પીટીઆઈના સમાચાર અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થાએ છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં મંદીનો અનુભવ કર્યો છે, જે ડિસેમ્બર ક્વાર્ટરથી પાછું આવવાની ધારણા છે.

