Get App

પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત વરસતી રહી ગોળીઓ, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોના વાહનોને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 21, 2024 પર 7:56 PM
પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત વરસતી રહી ગોળીઓ, અત્યાર સુધીમાં 50 લોકોના મોતપાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત વરસતી રહી ગોળીઓ, અત્યાર સુધીમાં 50 લોકોના મોત
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી હતી અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Pakistan Terrorist Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાહનો પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જતા મુસાફરોના વાહનો પર ગોળીબાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો છે.

મૃત્યુઆંક વધી શકે છે

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુરૂવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં બંદૂકધારીઓએ પેસેન્જર વાહનો પર ગોળીબાર કર્યો હતો. ચૌધરીએ કહ્યું કે કુર્રમ આદિવાસી જિલ્લામાં આ હુમલામાં માર્યા ગયેલાઓમાં એક મહિલા અને એક બાળક પણ સામેલ છે. "આ એક મોટી દુર્ઘટના છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે," તેમણે કહ્યું.

શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે તણાવ

બધા સમાચાર

+ વધુુ વાંચો