આધાર નંબર જારી કરવા માટેની નોડલ સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ નીલકંઠ મિશ્રાને તેના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. નીલકંઠ મિશ્રા હાલમાં એક્સિસ બેંક લિમિટેડમાં મુખ્ય અર્થશાસ્ત્રી અને વૈશ્વિક સંશોધનના વડા છે. એક્સિસ બેંક પહેલા, મિશ્રાએ બે દાયકા સુધી ઝ્યુરિચ સ્થિત ક્રેડિટ સુઈસમાં કામ કર્યું હતું. નીલકંઠ મિશ્રા ધાતુઓ અને ખાણકામ, ભારતીય ફાર્માસ્યુટિકલ્સ, તાઇવાન આઈસી ડિઝાઇન, સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી અને એશિયન ટેક વ્યૂહરચના સંશોધનમાં નિષ્ણાત છે. તમને જણાવી દઈએ કે UIDAI બોર્ડમાં એક અધ્યક્ષ, બે પાર્ટ-ટાઇમ સભ્યો અને સીઈઓ હોય છે.

