નેપાળથી ફરી એકવાર અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે આ પ્લેન ક્રેશ થયું છે. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું અને તેમાં 19 લોકો સવાર હતા.