Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના પર્યટકો હતા. આ ઘટનાની ન્યાયિક તપાસ અને કાશ્મીરમાં પર્યટકોની સુરક્ષા માટે પુખ્તા વ્યવસ્થા કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

