પાકિસ્તાની સેનાએ ખુલ્લેઆમ ઇસ્લામિક જિહાદને પ્રોત્સાહન આપતું નિવેદન કર્યું છે, જેનાથી પાકિસ્તાનની સેના એક નિયમિત સૈન્ય દળ છે કે પછી ગણવેશની આડમાં 'જિહાદ ફી સબીલિલ્લાહ' (અલ્લાહના માર્ગે સંઘર્ષ) કરતું જિહાદી સંગઠન છે તેવા સવાલો ઉભા થયા છે. પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (DG-ISPR)ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે ઇસ્લામ માત્ર દરેક સૈનિકની વ્યક્તિગત આસ્થાનો ભાગ નથી, પરંતુ તે સેનાની તાલીમ અને કામગીરીનો પણ આધારસ્તંભ છે.