પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ શહેબાઝ શરીફ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ' (પીટીઆઈ)ના કાર્યકર્તાઓએ ખાનને જેલમાંથી મુક્ત કરવાની માંગ સાથે મોટું આંદોલન શરૂ કર્યું છે. દેશભરમાંથી પીટીઆઈ કાર્યકર્તા ઈસ્લામાબાદ તરફ કૂચ કરી રહ્યા છે જેના કારણે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. ઘણી જગ્યાએથી હિંસાના સમાચાર પણ આવી રહ્યા છે. ઈમરાન ખાનના આદેશ બાદ તેઓ રવિવારથી વર્તમાન સરકાર સામે 'કરો યા મરો' વિરોધ પ્રદર્શન કરવા રાજધાની તરફ જઈ રહ્યા છે. ઘણા પીટીઆઈ કાર્યકર્તા રાજધાની ઈસ્લામાબાદની અંદર પણ પહોંચી ગયા છે.

