India-China relations: ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન પહેલાં એક મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં જયશંકરે ભારત-ચીન સંબંધોને મજબૂત કરવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

