સામાન્ય જનતા માટે એક મોટા સમાચાર છે. ટૂંક સમયમાં લોકોને સસ્તુ પેટ્રોલ અને ડીઝલ મળી શકે છે. હકીકતમાં, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. કેન્દ્રીય મંત્રીએ બીજેપી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિવેદન આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એપ્રિલ 2022થી તેલની કિંમતોમાં કોઈ વધારો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું છે.

