PM Modi in mahakumbh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે જ્યાં તેઓ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. બુધવારે, માઘ મહિનાની અષ્ટમી તિથિના રોજ, શુભ મુહૂર્ત દરમિયાન, તેઓ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવશે. સ્નાન પછી, તેઓ સંગમ કિનારે ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરશે. પ્રધાનમંત્રી આવતીકાલે સવારે 10 વાગ્યે મહાકુંભ પહોંચશે. અહીંથી તે અરૈલ ઘાટથી બોટ દ્વારા સંગમ જશે. એકંદરે PM MODI પ્રયાગરાજમાં લગભગ એક કલાક રોકાશે. આ સમય દરમિયાન તેઓ ગંગા સ્નાન કરશે અને ગંગાની પૂજા કરી પાછા ફરશે.

