દેશની 18મી સંસદની રચના બાદ રાજનાથ સિંહે ફરી એકવાર રક્ષા મંત્રીની જવાબદારી સંભાળી છે. તેમણે ગુરુવારે દિલ્હીમાં ચાર્જ સંભાળ્યો હતો. તેમને સતત બીજી વખત આ જવાબદારી સોંપવામાં આવી છે. 2014માં ગૃહમંત્રી પદ સંભાળનાર રાજનાથ સિંહ 2019થી સંરક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા છે. સતત બીજી વખત સંરક્ષણ મંત્રાલય મળવા પર તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં તેમનો ઉદ્દેશ્ય દેશને સુરક્ષિત રાખવાનો અને આત્મનિર્ભર ભારતને આગળ વધારવાનો રહેશે. આ રીતે તેમણે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવાનું પણ લક્ષ્ય રાખ્યું છે.