Sabarmati Ashram redevelopment: સાબરમતી આશ્રમ માટેના માસ્ટર પ્લાન હેઠળ રૂ. 1200 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને પાંચ એકર વિસ્તારને 55 એકર સુધી વિસ્તારવામાં આવશે. આ સાથે હાલની 36 ઈમારતોનું નવીનીકરણ કરવામાં આવશે. મોદીએ મંગળવારે કહ્યું હતું કે આ આશ્રમ એક સમયે 120 એકર જમીનમાં ફેલાયેલો હતો, પરંતુ સમય જતાં તે ઘટાડીને પાંચ એકર અને 63 બિલ્ડિંગથી હવે 36 ઈમારતો થઈ ગયો છે. તેમણે કહ્યું કે આ હાલની 36 ઈમારતોમાંથી પ્રવાસીઓ માત્ર ત્રણ ઈમારતોની મુલાકાત લઈ શકશે.

