સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ 2025 સુધી યોજાશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ માહિતી આપી. રિજિજુએ જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આ તારીખોની ભલામણ કરી છે. રિજિજુએ એવા સમયે ચોમાસુ સત્રની જાહેરાત કરી છે જ્યારે વિપક્ષી પક્ષોના નેતાઓ સરકાર પાસે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે.

