ભારતના ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે ભારત 1960માં થયેલી સિંધુ જળ સંધિ (Indus Water Treaty)ને પુનઃસ્થાપિત નહીં કરે. ભારત હવે સિંધુ નદીના પાણીને પોતાના ઉપયોગ માટે, ખાસ કરીને રાજસ્થાનમાં નહેરો દ્વારા વાળશે. આ નિર્ણયથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છવાયો છે, કારણ કે આ સંધિ પાકિસ્તાનની જળ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.