કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકન ટેરિફના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર થતી અસર અને રોજગાર સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સિંગાપોરથી પરત ફર્યા બાદ તેમણે ટૂરિઝમ સેક્ટરને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવવાની હિમાયત કરી. તેમણે જણાવ્યું કે ટેરિફના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારની તકો ઘટી રહી છે, જેનો સામનો કરવા ટૂરિઝમ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.