સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 25 પ્રવાસીઓ સહિત કુલ 26 લોકોના મોત થયા હતા. જાહેર કરાયેલા એક ટૂંકા નિવેદનમાં ગુટેરેસે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ઘટાડવા માટે પણ આહ્વાન કર્યું હતું.