Uttarkashi Tunnel Accident: કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને ઉતરાખંડના મુખ્યમંત્રી ધામી બચાવ કામગીરીનું નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓએ કહ્યું હતું કે અમારું પહેલું લક્ષ્ય ટનલમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું છે. બચાવ કામગીરી ચાલુ છે. દર 40 મિનિટે પાઈપ દ્વારા અંદર ફસાયેલા મજૂરો સુધી ઓક્સિજન અને ખાવાની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. ટનલમાં ફસાયેલા મજૂરોના પરિવારોની સ્થિતિ કફોડી છે. તેઓ કહી રહ્યા છે અમારી પાસે રહેલી તમામ વસ્તુઓ લઈ લો પરંતુ અંદર ફસાયેલા અમારા લોકોને બહાર કાઢો.

