જસ્ટિસ સંજીવ ખન્નાએ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્માએ જસ્ટિસ ખન્નાને દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ખન્ના ભારતના ચીફ જસ્ટિસ તરીકે છ મહિનાથી થોડો વધુ સમય માટે કામ કરશે. 13 મે, 2025 ના રોજ 65 વર્ષની વય પૂર્ણ કરીને નિવૃત્ત થશે. જસ્ટિસ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. આવી સ્થિતિમાં હવે લોકોના મનમાં સવાલ એ છે કે મહત્વના મુદ્દાઓ પર સરકારની સરખામણીમાં નવા ચીફ જસ્ટિસનું કેવું વલણ હશે.

