જો તમે નવું પાન કાર્ડ (PAN Card) બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ 1 જુલાઈ, 2025થી નવું પાન કાર્ડ બનાવવા માટે આધાર નંબર અને આધાર વેરિફિકેશન ફરજિયાત રહેશે. અત્યાર સુધી પાન કાર્ડ બનાવવા માટે કોઈપણ માન્ય ઓળખપત્ર અને જન્મ પ્રમાણપત્ર પૂરતું હતું, પરંતુ નવા નિયમ હેઠળ આધારને અનિવાર્ય કરવામાં આવ્યું છે.