DigiLocker AI: ભારતના ડિજિટલ વિશ્વને વધુ મજબૂત અને વિશ્વાસપાત્ર બનાવવા માટે મોટું પગલું ભરાયું છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ ડિજીલોકર પ્લેટફોર્મમાં AI આધારિત e-KYC અને વૈશ્વિક ક્રેડેન્શિયલ વેરિફિકેશનની નવી સુવિધાઓ ઉમેરવાની જાહેરાત કરી છે. આ નવી ટેક્નોલોજીથી ડિજિટલ ગવર્નન્સમાં એક નવો યુગ શરૂ થશે, જેમાં કાગળ વગરની, સુરક્ષિત અને ત્વરિત પ્રક્રિયાઓ વધુ સરળ બનશે.

