આગામી 15 દિવસમાં, કેન્દ્ર સરકાર નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે પોતાનો નિર્ણય જાહેર કરવા જઈ રહી છે. વાસ્તવમાં નાની બચત યોજનાઓના વ્યાજ રેટ અંગેનો નિર્ણય ત્રિમાસિક ધોરણે લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, હવે આગામી ક્વાર્ટર એટલે કે એપ્રિલથી જૂન સુધીના વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ પણ નાની બચત યોજનાઓમાં સામેલ છે. આ યોજનામાં નાનું રોકાણ કરીને, તમે તમારી દીકરીના ભવિષ્ય માટે પૈસાની વ્યવસ્થા કરી શકો છો.