PM Ujjwala Yojana: કેન્દ્ર સરકારની કેબિનેટે શુક્રવારે ગરીબ અને વંચિત પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી. વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ વર્ષ 2025-26 માટે 12,000 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના ગરીબ પરિવારોને ઘરેલું રસોઈ ગેસ કનેક્શન પર સબસિડી આપીને સ્વચ્છ અને સસ્તું ઇંધણ પૂરું પાડે છે, જેનાથી લાખો ઘરોમાં જીવનશૈલી સુધરશે.