Indian Railways: ભારતીય રેલ્વેએ પેસેન્જર ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ કહ્યું કે, ટિકિટ બુકિંગ માટેનો નવો સમય નિયમ 1 નવેમ્બર, 2024થી અમલમાં આવશે. રેલવે બોર્ડના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશનની વર્તમાન મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવશે અને બુકિંગ નવા નિયમ મુજબ પણ કરવામાં આવશે.