નાણા મંત્રાલયની માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) માટે શરૂ કરાયેલ ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના હેઠળ દાવાઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી છે. ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના 17મી એપ્રિલે શરૂ કરવામાં આવી હતી. આ યોજના સપ્લાયર/કોન્ટ્રાક્ટર દ્વારા દાવાની તારીખથી નોંધાયેલ MSME ને લાગુ થશે. MSME માલ અને સર્વિસની કોઈપણ સીરીઝ માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. કોન્ટ્રાક્ટ મુજબ, ડિલિવરીનો મૂળ સમયગાળો 19 ફેબ્રુઆરી 2020 થી 31 માર્ચ 2022 સુધી નક્કી કરવામાં આવ્યો હતો.

