એક મોટી રાહતમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ જાહેરાત કરી છે કે કર્મચારીઓના અમુક વર્ગોએ તેમના ભૌતિક દાવાઓની પતાવટ માટે આધાર લિંક કરવાની જરૂર નથી. સામાન્ય રીતે, EPFO સબ્સ્ક્રાઇબર્સે દાવાની પતાવટ માટે તેમના UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર)ને આધાર સાથે લિંક કરવું પડે છે. હવે EPFOએ સ્પષ્ટતા આપી છે. તેનાથી ઘણા લોકોને રાહત મળશે.

