New Income tax bill: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંસદના આગામી બજેટ સત્રમાં કામ કરતા લોકોને મોટી રાહત આપી શકે છે. હકીકતમાં સરકાર એક નવું આવકવેરા બિલ રજૂ કરવાના મૂડમાં છે, જેનો ઉદ્દેશ્ય વર્તમાન આવકવેરા કાયદાને સરળ બનાવવા, તેને સમજી શકાય તેવો બનાવવા અને પાનાઓની સંખ્યામાં લગભગ 60 ટકા ઘટાડો કરવાનો છે. ટેક્સપેયર્સ માટે આ રાહતની વાત હશે કારણ કે તેઓ તેનાથી સંબંધિત પાસાઓને સરળતાથી સમજી શકશે.