Lakhpati Didi Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર તેમના ભાષણોમાં લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ કરે છે. આ સરકારી યોજનાના ફાયદા એવા છે જે તેને ખૂબ જ લોકપ્રિય બનાવે છે. આ જ કારણ છે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં તેમના બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક બે કરોડથી વધારીને ત્રણ કરોડ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ મહિલાઓને 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે અને તે પણ કોઈપણ વ્યાજ વગર, ચાલો જાણીએ તેના ફાયદા અને અરજી કરવાની પ્રક્રિયા...

