New GST rates: સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી નવા GST સુધારાની વાત કરી છે. તેમણે કહ્યું કે દિવાળી સુધીમાં આ સુધારા અમલમાં આવી જશે. આ વચ્ચે, કેન્દ્ર સરકારે GSTના માળખામાં મોટા ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો ઉદ્દેશ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો છે.