Goods and Services Tax: નવરાત્રીના પ્રથમ દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બર, 2025થી દેશભરમાં GSTના નવા દરો લાગુ થઈ ગયા છે. જો તમને GSTમાં ઘટાડાનો લાભ ન મળી રહ્યો હોય, તો તમે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકો છો. સરકારે જણાવ્યું છે કે ઉપભોક્તાઓ ટોલ-ફ્રી નંબર 1915 પર કોલ કરીને અથવા વોટ્સએપ નંબર 8800001915 પર મેસેજ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.