PM Swanidhi Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પીએમ સ્વનિધિ યોજનાએ પાંચ વર્ષની સફળ સફર પૂર્ણ કરી છે. આ યોજના દેશભરના સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વેપારીઓના જીવનમાં નવો ઉજાસ લાવી રહી છે, જેમાં ગુજરાતે દેશમાં અગ્રણી સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આ યોજનાને મિશન મોડમાં લાગુ કરી, 4.79 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સને આર્થિક રીતે સશક્ત બનાવ્યા છે.