PM SWANIDHI Yojana: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (PM સ્વનિધિ) યોજનાને 31 માર્ચ, 2030 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ યોજનાના લોનની મુદત અને બજેટને મંજૂરી આપી, જેનું કુલ બજેટ 7,332 કરોડ નક્કી કરાયું છે. આ યોજના 1.15 કરોડ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ આપશે, જેમાં 50 લાખ નવા લાભાર્થીઓનો પણ સમાવેશ થશે.

