Pradhan Mantri Vikasp Bharat Rozgar Yojana: કેન્દ્ર સરકારે સોમવારે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PMVBRY) નું પોર્ટલ લોન્ચ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય 1 ઓગસ્ટ, 2025થી 31 જુલાઈ, 2027 સુધી દેશમાં 3.5 કરોડથી વધુ રોજગારની તકો સર્જવાનો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ પોર્ટલની રજૂઆત કરતાં જણાવ્યું કે આ યોજના હેઠળ 99,446 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેનો લાભ નોકરીદાતા અને પ્રથમ વખત નોકરી કરનારા બંને લઈ શકશે.