રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્કો માટે ખાસ 100 દિવસ 100 પેમેન્ટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ બેન્કોમાં દાવા વગરના નાણા એટલે કે દાવા વગરની ડિપોઝિટ એકત્રિત કરવા અને તેનો નિકાલ કરવા માટે આ કાર્યક્રમ ખાસ શરૂ કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે 12 મેના રોજ 100 દિવસ 100 ચુકવણી અભિયાનની જાહેરાત કરી હતી. આ અંતર્ગત, 100 દિવસમાં, ભારતના દરેક જિલ્લામાં દરેક બેન્કમાં જમા કરાયેલ 100 દાવા વગરની ડિપોઝિટને શોધીને તેનો નિકાલ કરવામાં આવશે.