ભારતીય રિઝર્વ બેંક (RBI)એ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને વ્યક્તિઓ અને સૂક્ષ્મ તથા લઘુ ઉદ્યમો માટે લોનની પ્રક્રિયાને વધુ સરળ અને સસ્તી બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. RBIએ બેંકો અને નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ (NBFC)ને નિર્દેશ આપ્યો છે કે તેઓ વ્યક્તિઓ અને MSE દ્વારા લેવામાં આવેલા ફ્લોટિંગ રેટ લોન અને એડવાન્સ, જેમાં બિઝનેસ હેતુ પણ સામેલ છે, તેના પર કોઈ પ્રી-પેમેન્ટ ચાર્જ નહીં વસૂલે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2026થી અથવા ત્યારબાદ મંજૂર અથવા રિન્યૂ થયેલી તમામ લોન અને એડવાન્સ પર લાગુ થશે.