દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) એ લોનના વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. SBI ના આ નિર્ણયથી, હાલના અને નવા બંને લોન લેનારાઓ માટે લોન સસ્તી થઈ ગઈ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ રેપો રેટમાં 0.5 ટકાનો ઘટાડો કર્યા પછી, SBI એ પણ લોન સસ્તી કરી છે. SBIનો રેપો આધારિત વ્યાજ દર (RLLR) હવે 0.5 ટકાના ઘટાડા સાથે 7.75 ટકા થઈ ગયો છે. બાહ્ય બેન્ચમાર્ક આધારિત વ્યાજ દર (EBLR) માં પણ 0.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે હવે 8.65 થી 8.15 ટકા થઈ ગયો છે.