Small Savings Scheme: કેન્દ્ર સરકારે નાના રોકાણકારો અને સામાન્ય જનતાને ખુશખબર આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ) માટે નાની બચત યોજનાઓ એટલે કે Small Savings Schemesના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે બજારમાં બેંકો ફિક્સ ડિપોઝિટ (FD) પર વ્યાજ ઘટાડી રહી છે, ત્યારે સરકારનો આ નિર્ણય મધ્યમ વર્ગ અને સિનિયર સિટિઝન્સ માટે મોટી રાહત સમાન છે.

