Train Luggage Rules: ભારતીય રેલવેના યાત્રીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનમાં નિયમિત મર્યાદાથી વધુ સામાન લઈ જવા પર કોઈ દંડ કે એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નહીં આવે. આ નિવેદનથી એવી અફવાઓનો અંત આવ્યો છે કે રેલવે હવે એરપોર્ટની જેમ સામાનની મર્યાદા નક્કી કરીને વધારાનો ચાર્જ વસૂલશે.