Indian Railway: ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સતત નવા પગલાં ભરી રહી છે. હવે ટ્રેનનું રિઝર્વેશન ચાર્ટ ટ્રેન છૂટવાના 4 કલાકને બદલે 8 કલાક પહેલાં તૈયાર થશે. રેલવે બોર્ડના આ પ્રસ્તાવને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા હરી ઝંડી આપવામાં આવી છે. આ નિર્ણયથી મુસાફરોને ટિકિટ કન્ફર્મેશનની માહિતી વહેલી મળશે અને વેઈટિંગ લિસ્ટવાળા મુસાફરોને પોતાની યાત્રાનું આયોજન કરવા માટે વધુ સમય મળશે.