Budget 2026: ભારતમાં બજેટ 2026-27ની તૈયારીઓ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ટેક્સને લઈને એક મોટો મુદ્દો સામે આવ્યો છે. દેશના અગ્રણી ટેક્સ એક્સપર્ટ્સ અને અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે સરકારે આગામી બજેટમાં સુપર રિચ એટલે કે અત્યંત ધનિક લોકો પર ઇન્કમ ટેક્સ સરચાર્જ વધારવો જોઈએ નહીં કે વેલ્થ ટેક્સ ફરીથી લાગુ કરવો જોઈએ નહીં. જો સરકાર આમ કરશે, તો દેશના ધનવાનો ભારત છોડીને વિદેશમાં સ્થાયી થઈ શકે છે.

