Railway Budget 2026: દેશના સામાન્ય નાગરિકોની નજર હવે 1 ફેબ્રુઆરી પર ટકેલી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે સંસદમાં બજેટ રજૂ કરવા ઉભા થશે, ત્યારે રેલવે મુસાફરોને સૌથી વધુ આશાઓ હશે. સરકાર ભલે રેલવેમાં સુધારાના મોટા દાવાઓ કરી રહી હોય, પરંતુ હકીકત એ છે કે સામાન્ય માણસ આજે પણ ટ્રેનની મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

